રામ ભક્ત મા શબરીની પાવન ભૂમિ એવા શબરી ધામમાં આગામી તા.15મી ઓક્ટોબરે યોજાનારા દશેરા મહોત્સવ સ્થળની જાત મુલાકાત લઈ, ડાંગના કલેક્ટરએ શબરી ધામ ટ્રસ્ટ સહિત જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડયું હતું. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જગદજનની આદ્યશક્તિ માં અંબાના નવલા નોરતાની શ્રેણીબદ્ધ ઉજવણી બાદ, પ્રભુ રામ સાથેના શબરી મિલન સ્થળ એવા શબરી ધામમાં દશેરા મહોત્સવનું રાજ્ય કક્ષાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને અહીં પધારનારા મંત્રી સહિતના મહાનુભાવો, ભક્તજનો વગેરેની સુચારૂ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરતા કલેક્ટર ભાવિન પંડયાએ ‘શબરી ધામ’ની તેમના અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. દશેરા મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત રાવણ દહન અને મહા આરતીનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશભાઇ મોદી સહિત આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, પાણી પુરવઠા અને ગ્રામ વિકાસ મંત્રી જીતુભાઈ ચૌધરી, રાજ્યના પૂર્વ વરિષ્ઠ મંત્રી ગણપતસિંહ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમ દરમિયાન સૂચારૂ વ્યવસ્થા જળવાઈ રહે તે જોવાની સૂચના આપતા કલેક્ટર પંડયાએ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application