પલસાણા ગામની સીમમા આવેલા કાલાઘોડા પાસે ઉમિયા વેબ્રિજ કાંટાની સામે મુંબઇથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર-૪૮ના રોડ ઉપર એક અજાણ્યા ફોર વિહીલર વાહનના ચાલકે ત્યાં રોડ ક્રોસ કરી રહેલા એક ૩૦ વર્ષીય યુવકને અડફ્ટે લેતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.
મળતી માહિતી મુજબ એક ફોર વિહીલર વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવીને ત્યાં રોડ ક્રોસ કરતા એક અજાણ્યા ૩૦ વર્ષીય પુરૂષને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માતનો ભોગ બનનાર યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. ત્યારબાદ કૈલાશ માતા પ્રસાદ કહાર (ઉ.વ.૪૪.,રહે.મલેકપોર ગામ,કોળી ફળીયા, તા.પલસાણા)એ પલસાણા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અસ્માત મોત અંગેનો ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application