નવસારીનાં વાંસદા તાલુકામાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને લઈ ઘણા વિસ્તારોમાં એસટી બસોના રૂટ કેન્સલ કરવામાં આવ્યા હતા. હાલમાં કોરોના મહામારી ઓછી થતા 2 વર્ષથી બંધ હતી નવસારી-પીપલખેડ એસટી બસ મંગળવારે ફરી શરૂ થતાં પીપલખેડ વિસ્તાર આનંદની લાગણી ફેલાઇ હતી. વાંસદામાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને લઈ આંતરિક વિસ્તારના ગામોની એસટી બસો બંધ કરવામાં આવી હતી. જેને લઈને લોકોને હાલાકી પડી રહી હતી. આ અંગે આ વિસ્તારના સરપંચો તથા આગેવાનોએ ડેપો મેનેજરને રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે નવસારીથી પીપલખેડ એસટી બસ શરૂ કરતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આ સાથે એસ.ટી.બસના ચાલક-કન્ડક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application