Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી-પીપલખેડ બસ સેવા શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ

  • December 01, 2021 

નવસારીનાં વાંસદા તાલુકામાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને લઈ ઘણા વિસ્તારોમાં એસટી બસોના રૂટ કેન્સલ કરવામાં આવ્યા હતા. હાલમાં કોરોના મહામારી ઓછી થતા 2 વર્ષથી બંધ હતી નવસારી-પીપલખેડ એસટી બસ મંગળવારે ફરી શરૂ થતાં પીપલખેડ વિસ્તાર આનંદની લાગણી ફેલાઇ હતી. વાંસદામાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને લઈ આંતરિક વિસ્તારના ગામોની એસટી બસો બંધ કરવામાં આવી હતી. જેને લઈને લોકોને હાલાકી પડી રહી હતી. આ અંગે આ વિસ્તારના સરપંચો તથા આગેવાનોએ ડેપો મેનેજરને રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે નવસારીથી પીપલખેડ એસટી બસ શરૂ કરતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આ સાથે એસ.ટી.બસના ચાલક-કન્ડક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application