Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા ૧૦૯ શિક્ષકોની નિમણુંક

  • June 02, 2021 

રાજયમાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં  શિક્ષણ સહાયકોની ભરતી અન્વયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નિમણુંક હુકમ આપવા માટેનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે નવસારી જિલ્લામાં પણ નવનિયુક્ત થયેલા ૧૦૯ શિક્ષકોને નિમણુંક આપવા માટેનો કાર્યક્રમ જિલ્લા સેવા સદન ખાતે યોજાયો હતો. જે પૈકી કલેકટર આર્દ્રા અગ્રવાલે ૧૫ શિક્ષકોને નિમણુંક પત્ર આપી શુભેચ્છાઓ આપી હતી.

 

 

 

 

કલેકટર આર્દ્રા અગ્રવાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, નવનિયુક્ત શિક્ષકોએ જિલ્લામાં શિક્ષણના સ્તરને નવી ક્ષિતિજો આપવા પોતાની તમામ શક્તિઓ લગાવી દેવાની છે. આ માટે વહીવટી તંત્ર હંમેશા તેમની પડખે રહેશે. શિક્ષક વિદ્યાર્થીનું ભાવિ ઘડે છે, શિક્ષક વિદ્યાર્થી માટેની આજીવન પ્રેરણા બને છે. માટે દરેક શિક્ષકે ઉચ્ચ મૂલ્યો અનુસરીને વિદ્યાર્થીઓ માટે આદર્શરૂપ બનવું જોઇએ.

 

 

 

 

અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે ૧૦૯ શિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તેમાં જીવવિજ્ઞાનના-૦૬, રસાયણશાસ્ત્રનાં-૧૨, કોર્મસના-૧૯, અર્થશાસ્ત્રના-૦૫, અંગ્રેજીના-૧૮, ગુજરાતીના-૦૯, હિન્દીનાં-૦૨, ગણિતના-૦૮, તત્વજ્ઞાનનાં-૦૨, ભૌતિક વિજ્ઞાનનાં-૦૫, મનોવિજ્ઞાનનાં-૦૭, સંસ્કૃતનાં-૦૫, સમાજશાસ્ત્રનાં-૧૧ શિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે.

 

 

 

 

જિલ્લા સેવા સદન ખાતે ૧૫ શિક્ષકોને નિમણુંકપત્ર આપ્યા બાદ બાકીના શિક્ષકોને સંસ્કાર ભારતી શાળા, નવસારી ખાતે નિમણુંકપત્ર આપવામાં આવ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application