Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન શરૂ થતાં ટ્રેનની મુસાફરી માણવા સહેલાણીઓ ઉમટ્યા

  • September 27, 2021 

બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન શરૂ થતાં ટ્રેનની મુસાફરી માણવા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા જયારે રવિવારની રજામાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉનાઈ માતાજીના મંદિરે આવતા હોય છે. હાલમાં બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પુનઃશરૂ કરવાથી ટ્રેન બાબતે અનેક સહેલાણીઓ આકર્ષાયા હોય જેઓ બીલીમોરથી ઉનાઈ સુધી નેરોગેજ ટ્રેનમાં મુસાફરી કરી માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે તેમજ અનેક સહેલાણીઓ નેરોગેજ ટ્રેન ચાલુ થતા વઘઇ સુધી ટ્રેનની મુસાફરી કરી પ્રાકૃતિક સૌંદર્યને માણવા મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ટ્રેન આદિવાસી વિસ્તારના લોકોની જીવાદોરી સમાન છે જે કોરોના બાદ સરકાર દ્વારા ખોટમાં ચાલતી હોવાનું કારણ ધરી બંધ કરી દેતા આદિવાસી સમાજમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા હતા.

 

 

 

 

 

ટ્રેન ચાલુ કરાવવા આદિવાસી સમાજના લોકો તેમજ સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલે પ્રતીક ધરણા કરી ટ્રેન શરૂ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. જોકે રેલવે તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરી ટ્રેન દ્વારા આવક થાય અને સહેલાણીઓ વધે એ હેતુથી નેરોગેજ ટ્રેનમાં એસી કોચ સારું કરવામાં આવ્યો હોય હાલમાં નેરોગેજ ટ્રેન પુનઃપાટા પર દોડી રહી હોય સહેલાણીઓ પણ સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો હોય આવનાર દિવસોમાં નેરોગેજ ટ્રેનની મુસાફરી કરવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળે તો નવાઈ નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application