ડાંગ જિલ્લાના આહવા તાલુકાની સરકારી માધ્યમિક શાળા-ભવાનદગડ ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' નિમિત્તે 'મેરી માટી, મેરા દેશ' કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વ્યાપક જનચેતના જગાવતા અભિયાનો જેવા કે હર ઘર તિરંગા અભિયાન, સ્વચ્છ ભારત મિશન, દીપ જલાવો અભિયાન વિગેરેમાં સો ટકા યોગદાન આપતા આ શાળાના શિક્ષકો તથા બાળકોએ, આ વખતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન "મેરી માટી, મેરા દેશ' ને ઝીલી લેતા સંસ્થા ખાતે તેની ઉજવણી કરી હતી. અભિયાન શુભારંભના પ્રથમ દિવસે જ સરકારી માધ્યમિક શાળા, ભવાનદગડ ખાતે શાળાના આચાર્ય ભવાની પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમન આયોજિત કરાયો હતો.
જેને સફળ બનાવવા માટે શાળાના મદદનીશ શિક્ષિકા અર્ચનાબેન પરમાર તથા સંજયભાઈ થોરાટએ જહેમત ઉઠાવી હતી. આ અભિયાન અંતર્ગત ધોરણ ૯નાં વિદ્યાર્થીઓ દ્વારા માટીમાંથી દીવા બનાવવામાં આવ્યા હતા તથા શાળાના તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને જિલ્લા શિક્ષણ કચેરીના પ્રતિનિધિ એ.આઈ. દ્વારા 'મેરી માટી, મેરા દેશ' અભિયાનને સાર્થક કરતા હાથમાં દીવો લઈ પંચ પ્રણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરી, તેના જતન માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. રાષ્ટ્રગાન બાદ શાળા પરિવારનો આ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application