દર ૧૮ વરસે યોજાતી યાત્રાનો મંગલ પ્રારંભ ભરૂચ તાલુકાના નાંદ ગામ ખાતે કરવામાં આવ્યો હતો. અધિકના એક માસ માટે શરૂ થયેલ નાંદ ગામની આ પવિત્ર યાત્રાના પ્રારંભે સાંસદ મનસુખભાઈ વસાવાએ નાંદ ખાતે રિબીન કાપીને જાત્રાને ખુલ્લો મૂક્યો હતો. સાંસદ મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી વગેરે મહાનુભાવોનું ગામલોકોએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતુ. ત્યાર બાદ ૧૮ વર્ષે યોજાતી યાત્રાનો મંગલ પ્રારંભ સમયે ધાર્મિક વિધી કરવામાં આવી હતી. આ ધાર્મિક વિધીમાં સાંસદ, ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી સહિતના આગેવાનો જોડાયા હતા. યાત્રાના પ્રારંભના પ્રસંગે નાંદ ગામના સરપંચ અને ડે.સરપંચ અને ગામના અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application