Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આતંકી હુમલા બાદ ભારત સરકારે ૧૬ પાકિસ્તાની યુટયુબ ચેનલોને બ્લોક કરી

  • April 29, 2025 

પહલગામ આતંકી હુમલા બાદ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી ફેલાવવા બદલ ભારત સરકારે ૧૬ પાકિસ્તાની યુટયુબ ચેનલોને બ્લોક કરી દીધી છે. આ ચેનલોના કુલ ૬.૩ કરોડ સબ્સ્ક્રાઈબર્સ હતા. આ કાર્યવાહી કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણ પર કરવામાં આવી હતી.


બ્લોક કરવામાં આવેલી ચેનલોમાં પાકિસ્તાની સમાચાર ચેનલ ડોન, સામા ટીવી, એરી ટીવી, બોલ ન્યુઝ, રફ્તાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યુઝ સામેલ છે. આ સાથે જ પાકિસ્તાની પત્રકારો ઈર્શાદ ભટ્ટી, અસમા શિરાજી, ઉમર ચીમા અને મુનીબ ફારુકની યુટયુબ ચેનલો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું કે, યુટયુબ ચેનલ ભારત, ભારતીય આર્મી અને સુરક્ષા એજન્સીઓ વિરૂદ્ધ ખોટી ખબરો ફેલાવીને ભ્રામક પ્રચાર કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે, પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવગ્રસ્ત બન્યા છે. આ હુમલામાં ૨૫ પર્યટકો અને એક કાશ્મીરી નાગરિકની હત્યા કરવામાં આવી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application