Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ગણપતિ વિસર્જન : બપોર સુધી કુત્રિમ તળાવમાં 29,240થી વધુ પ્રતિમાનું વિસર્જન

  • September 28, 2023 

સુરત શહેરમાં આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયેલા ગણેશ ઉત્સવમાં આજે ગણેશ વિસર્જન પણ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. જયારે પાલકિાએ પાંચ ફુટ સુધીની શ્રીજીની પ્રતિમા વિસર્જન માટે શહેરના જુદા-જુદા વિસ્તારમાં 20 કૃત્રિમ તળાવ બનાવ્યા હતા. પાલિકાએ બનાવેલ 20 કૃત્રિમ તળાવમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 29240 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કૃત્રિમ તળાવમાં આ વર્ષે નાની પ્રતિમા પણ મોટી સંખ્યામાં આવી હતી જેના કારણે વિસર્જન પ્રક્રિયા ઝડપી બની હતી. કૃત્રિમ તળાવ સુધી લોકો બાઈક, કાર કે માથા પર પ્રતિમા લઈને આવ્યા હતા અને પૂજા વિધિ બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું. કૃત્રિમ તળાવમાં 8,876 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 29,240 પ્રતિમાનું વિસર્જન કરવામા આવ્યું છે અને હજી પણ વિસર્જન ચાલી રહ્યું છે. જયારે પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં પ્રતિકાત્મક વિસર્જન બાદ આ પ્રતિમાને હજીરા ખાતે દરિયામાં ફરી પાલિકા દ્વારા વિસર્જન કરવામાં આવશે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News