Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માજી કેન્દ્રીયમંત્રી ડો.તુષાર ચૌધરી સાબરકાંઠા જિલ્લામાં સક્રિય બન્યા : કહ્યું, પક્ષ કહે તો ઉમેદવારી માટે વિચાર કરીશ

  • September 02, 2022 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે સાથે રાજકીય ઉથલપાથલની શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી સાબરકાંઠા જિલ્લામાં સક્રિય બને છે ત્યારે ડો.તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી ઉમેદવારી કરે તેવું હાલ તો નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.




હાલ ચૂંટણી લડવાનું કોઈ નક્કી નથી અને પક્ષ કહે છે તો ઉમેદવારી માટે વિચાર કરીશ :- તુષાર ચૌધરી


કોંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ કોંગ્રેસનો હાથ છોડી ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરી લીધો છે ત્યારે ખેડબ્રહ્મા બેઠક પર હાલ તો કોંગ્રેસ ના સક્ષમ ઉમેદવાર તરીકે કોઈ જોવા મળતું નથી ત્યારે તુષાર ચૌધરીએ ખેડબ્રહ્મા બેઠક પર ઉમેદવારી કરવાનું મન બનાવી લીધું છે જેને લઈને તુષાર ચૌધરી અવારનવાર સાબરકાંઠા જિલ્લાની અને ખાસ કરીને ખેડબ્રહ્મા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે અને સક્રિય કોંગ્રેસી આગેવાનો સાથે બેઠકો ચલાવી રહ્યા છે,જોકે આગામી પાંચ તારીખે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આયોજન માટે સાબરકાંઠા જિલ્લાની કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી બેઠકમાં મીડિયા સમક્ષ તુષાર ચૌધરી વાત કરતા જણાવ્યું હતું કે,હાલ ચૂંટણી લડવાનું કોઈ નક્કી નથી અને પક્ષ કહે છે તો ઉમેદવારી માટે વિચાર કરીશ પરંતુ જે પ્રકારે તુષાર ચૌધરી સાબરકાંઠા જિલ્લામાં સક્રિય બન્યા છે જેને લઇને હાલ તો સ્થાનિકો તુષાર ચૌધરીની ખેડબ્રહ્મા બેઠક પરથી ચૂંટણી લડવાનું નિશ્ચિત માની રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application