પશ્ચિમ બંગાળના કોલકાતાનાં મેચુઆપટ્ટી વિસ્તારમાં રાત્રે એક હોટલમાં આગ લાગી હતી. આ આગમાં 14 લોકોના મોત થયાનો દાવો કરાયો છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બુર્રાબજાર વિસ્તારમાં આવેલી ઋતુરાજ હોટલના પરિસરમાં મંગળવારે રાત્રે 8:15 વાગ્યાની આસપાસ બની હતી.
કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, પોલીસ અને રેસ્ક્યૂ ટીમો દ્વારા 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. આગ કેમ લાગી તે જાણવા માટે આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે. તપાસ માટે એક ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, તેમણે શંકા વ્યક્ત કરી છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application