ગાંધીનગર કર્મયોગી ભવનના બ્લોક-2માં પહેલે માળે આગ લાગી છે. જેમાં ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ લાગતા ભયનો માહોલ છવાયો હતો. તેમાં ઓફિસમાં કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. તથા ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવી લીધો છે.
કર્મયોગી ભવનની કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેમાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમાં ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં આગ લગાતા GPSSBના અધ્યક્ષ હસમુખ પટેલે નિવેદન આવ્યું છે. જેમાં હસમુખ પટેલે જણાવ્યું છે કે સ્ટ્રોંગ રુમમાં કોઈ તકલીફ નથી. પેપર વગેરે સલામત છે. જે રુમમાં આગ છે, ત્યાં ફર્નીચર બળ્યું છે. તથા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. તેથી સ્ટ્રોંગ રુમમા કોઈ તકલીફ નથી. તથા એવા કોઈ અગત્યના ડોક્યુમેન્ટ હોય એવુ હાલ જાણવા મળ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application