વ્યારાનાં ભોજપુરનજીક ગામના એજન્સીના ઉઘરાણીના નાણાં દિકરાએ ખર્ચી નાંખ્યા હતા. જોકે દિકરો ઘરે રહેતો ન હોય તે દરમિયાન તેમના ઘરે આવીને લેણદારો પુછપરછ કરી નાણાં ચુકવવા જણાવતા હતા. જેને લઈને કંટાળી ગયેલા દિકરાના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાના ભોજપુરનજીક ગામમાં દિકરાનું દેવું વધતા જેના ટેન્શનમાં પિતાએ આત્મહત્યાનું પગલું ભરી લીધાની ચકચારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો હતો.
ભોજપુરનજીક ગામના નિશાળ ફળીયાના રહીશ નીતિનભાઈ એદલજીભાઈ કોંકણી (ઉ.વ.૫૫)નો દિકરો ઈલેશભાઈ નિતીનભાઈ કોંકણી વ્યારાની એક એજન્સીમાં ઉઘરાણીનું કામ કરતો હતો, ઉઘરાણીના પૈસા દિકરાએ વાપરી નાંખ્યા હતા. જેથી દિકરાના માથે દેવું વધી ગયું હતું. જેથી એજન્સીના માણસો નાણાં લેવા અવારનવાર ઘરે આવતા તથા ઇલેશને દેવુ ભરપાઈ કરવા જણાવતા હતા. લેણદારોની વારંવારની અવરજવર તેમજ દિકરાનું દેવું વધી જવા અંગેની ચિંતા પિતાને સતાવતી રહેતી હતી. જેથી હતાશ થયેલા પિતા નીતિનભાઇએ ઘરની પાછળ આવેલા આંબાના ઝાડ સાથે દોરી વડે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. ઘટના અંગે વ્યારા પોલીસ મથકે એદલજીભાઈ ગમનીયાભાઈ કોંકણીએ જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application