Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક કરતા વધુ પાણી છોડાયું,કાંઠા વિસ્તારો હાઈ એલર્ટ

  • August 30, 2020 

આજે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 3 લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું હતું ત્યારબાદ સતત નર્મદા બંધ માં ઉપરવાસમાં થી પાણીની આવક વધતા સવારે 8 કલાકે 8 લાખ ક્યુસેક કરતા વધુ પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે.ડેમમાં પાણીની આવક 10,16,533 ક્યુસેક તેમજ જાવક 8,13,836 ક્યુસેક છે.

 

RBPH તેમજ CHPH વીજ મથકો શરૂ કરાયા છે જેમાંથી હજારો ક્યુસેક નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે ઉપરાંત રોજ કરોડો રૂપિયા નું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

 

નર્મદા નદીમાં પાણી છોડતા ત્રણ જિલ્લાના કાંઠા ના ગામોને એલર્ટ કરાયા તેમજ આસપાસ ના ખેતરો માં પાણી ભરાઈ જતા ખેડૂતોને પણ ભારે નુકશાન થવાની ભીતિ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News