કામરેજનાં વાવ ગામની સીમમાં હાઈવે પરથી નોકરી પર જઈ રહેલ બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. મળતી માહિતી મુજબ, હાલ ચૌર્યાસીના પુણા ગામ હંસવિહાર સોસાયટીમાં રહેતા અને મૂળ બોટાદ જિલ્લાના સભાડીયા ગામના ૨૭ વર્ષીય કેવલભાઈ બાબુભાઈ વઘાસિયા ટીવીએસ રાઈડર બાઈક લઇને ઘરેથી કામરેજ નવાગામ દાદાભગવાન મંદિરની પાછળ આવેલી પ્લાસ્ટિકની દાણાની ફેક્ટરીમાં નોકરી પર જવા માટે નીકળ્યા હતા.
તે સમયે કેવલભાઈ બાઈક લઈને વાવ ગામની સીમમાં વાવ કેનાલ ઉપર અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે પાછળથી આવેલા અજાણ્યા વાહન ચાલકે કેવલભાઈની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જી ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં કેવલભાઈને માથા તેમજ શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નિપજયું હતું. ઘટના અંગે કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application