હરિયાણાના સોનીપતમાં ભાજપ નેતાની પાડોશીએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. મળતી માહિતી મુજબ, જમીન વિવાદના કારણે હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેવને પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભાજપ નેતા અને મુંડલાના મંડળ અધ્યક્ષ સુરેન્દ્ર જવાહરની હત્યા મોડી રાત્રે 9:30 વાગ્યે કરવામાં આવી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે, ભાજપ નેતાએ પાડોશીના ફોઈની જમીન ખરીદી હતી, જેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આરોપીએ થોડા દિવસો પહેલાં જ ભાજપ નેતાને તે જમીન પર પગ ન મૂકવાની ધમકી આપી હતી. જેને લઈને બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. શુક્રવારે રાત્રે જ્યારે ભાજપ નેતા જમીન પર વાવણી કરવા ગયા તો આરોપી પણ ત્યાં પહોંચ્યો હતો અને ત્યારે બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ ભાજપ નેતા ત્યાંથી નીકળી ગયા. બાદમાં જ્યારે તે પોતાની દુકાને બેઠા હતાં અને ત્યારે એકાએક આરોપી ત્યાં પહોંચ્યો અને બંદૂકથી ગોળી મારીને હત્યા કરી દીધી. સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application