મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ચિખલદા ગામનાં હનુમાન ફળિયામાં મંદિરેથી ચાલતા-ચાલતા ઘરે જતાં વૃદ્ધાને બાઈકે અડફેટે લેતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ચિખલદા ગામનાં હનુમાન ફળિયામાં રહેતા વજનીબેન છનીયાબેન ગામીત (ઉ.વ.65)નાઓ ગત તારીખ 23/04/2024નાં રોજ રાત્રીનાં સાડા આઠ વાગ્યાનાં અરસામાં મંદિરેથી ચાલતા-ચાલતા ઘરે જતાં હતા.
તે સમયે હનુમાનજી ફળિયામાં જાહેર રોડ ઉપર એક અજાણ્યા બાઈક ચાલકે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વજનીબેનને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જયારે આ અકસ્માતમાં વજનીબેન રોડ ઉપર પટકાઈ ગયા હતા અને તેમણે જમણા હાથ તથા ડાબા પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમણે પ્રથમ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન તારીખ 28/04/2024નાં રોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વેચીયાભાઈ છનીયાબેન ગામીત નાંએ તારીખ 10/05/2024નાં રોજ વ્યારા પોલીસ મથકે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application