Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:બારડોલીના ઝાંખરડા ગામે પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

  • December 05, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સુરત,બારડોલી:બારડોલીનાં ઝાંખરડા ગામે પરિણીતાએ ઝેરી દવા પી લીધા બાદ તે પોતાના પિયર સિંગોદ જતી રહી હતી.જ્યાં તેણીને ઉલ્ટી થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાનાં સિંગોદ ગામે રહેતા નગીનભાઈ મંગાભાઈ હળપતિ(ઉ.વ.આશરે 43)ની પુત્રી દિવ્યાબેનના લગ્ન બારડોલીનાં ઝાંખરડા (ભૂવાસણ) ખાતે વિનયભાઈ પ્રવીણભાઈ હળપતિ સાથે એક વર્ષ અગાઉ થયા હતા.ગત સોમવારના રોજ તેણીએ પોતાના સાસરિયામાં જ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.દિવ્યાએ પોતાની તબિયત ખરાબ હોવાનું જણાવી તાત્કાલિક પોતાના પિતાને જાણ કરતાં પિતા નગીનભાઈ ઝાંખરડા ગયા હતા અને ત્યાંથી દિવ્યાને પોતાની સાથે સિંગોદ લઈ ગયા હતા.જ્યાં તેણીને ઉલ્ટી થવા લાગતાં ઉલ્ટી માંથી કોઈ ઝેરી દવાની ગંધ આવવા લાગી હતી.આથી તેને કડોદ ની દામોદર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં સારવાર દરમ્યાન દિવ્યાનું મોત થયું હતું.આ અંગે પોલીસે અકસ્માત મોત બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application