ડોલવણમાં વિતેલા વર્ષમાં ૧૩ માર્ચે આદિવાસી યુવાનની પરપ્રાંતિય ઇસમ દ્વારા હત્યા કર્યાની ઘટનાએ હાહાકાર મચાવ્યો હતો. જોકે મૃતકના સ્મરણાર્થે આખા ડોલવણ ગામ બંધ પાળીને મૌન રેલી કાઢી યુવકનેને શ્રદ્ધાંજલિ અર્પીત કરી હતી. ડોલવણ ખાતે ગત વર્ષ ૨૦૨૪ માર્ચમાં યુવાનની હત્યાનું એક વર્ષ પુરું થતા આજરોજ મૃતકને શ્રદ્ધાંજલિ અર્પીત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ગ્રામજનોએ સરપંચને લેખિતમાં રજઆત કરતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના એક દિકરાની પરપ્રાંતિય શખ્સ દ્વારા હત્યા કરવામાં આવી જે એકદમ નિંદનીય અને શરમજનક ઘટના હતી, ફરીવાર આવી કોઈ ઘટના ન બને અને કોઈ નિર્દોષનો ભોગ ન લેવાઈ તે માટે ગ્રામ પંચાયત ડોલવણ તથા ગ્રામજનો અને આદિવાસી પંચ ડોલવણ તાલુકાએ ભેગા થઈ ગામના જનહિત માટે ૭ મુદ્દાઓની રજૂઆત અને ચર્ચાઓ કરી હતી, જેમાં ૭માં મુદ્દા તરીકે પ્રતિવર્ષ ૧૩મી માર્ચે અંકુરકુમારની યાદમાં ડોલવણ બંધ રાખીને શોક પાળવાનું નક્કી કર્યું હતું. જેને લઈ ડોલવણ ગામ બંધમાં જોડાયું હતું અને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પીત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application