વલસાડ જિલ્લાનાં ભીલાડના ડેહલી ખાતે આવેલ શાહપેક વેલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં મધરાત્રિ બાદ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉમરગામ તાલુકાના ડહેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં ભીલાડ સંજાણ મુખ્ય માર્ગ ઉપર આવેલી કોરયુગેટેડ બોક્સ બનાવતી શાહપેક વેલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં મધરાત્રિ બાદ આશરે ત્રણેક વાગ્યાના અરસામાં કોઈક અગમ્ય કારણોસર આગ લાગી હતી.
અચાનક આગ લાગતા કામદારો દ્વારા પ્રથમ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરાયો હતો. પરંતુ આગ કાબુમાં ન આવતા ઘટનાની જાણ સરીગામ નોટીફાઈડ, જીઆઈડીસી નોટીફાઈડ, ઉમરગામ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરાઈ હતી. ત્યારબાદ જવાનો બંબા સાથે સ્થળ પર ધસી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ૨ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં કંપનીમાં રહેલું રો મટીરીયલ અને કંપનીની મશીનરીને નુકસાન પહોંચ્યું હતું. જોકે સદ્દનસીબે આગનાં બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application