Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલા સહિત ગરૂડેશ્વર તાલુકામાં બાળકોના ભાવિ ઉજ્જવળ બને તે હેતુસર કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાયો

  • February 24, 2023 

નર્મદા જિલ્લામાં યુવાધનને સ્વરોજગારી પુરી પાડી સ્વનિર્ભર બનાવવા માટે નર્મદા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ રોજગાર વિનિમય કચેરી દ્વારા ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. સરકારી હાઇસ્કૂલ રાજપીપલા અને ગરુડેશ્વરના ગોરા ગામે શ્રી પીન્ટુલાલા વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બને તે હેતુસર કારકિર્દી માર્ગદર્શન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.







રોજગાર અધિકારી એમ.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ વિભાગના કેરિયર કાઉન્સલર કૃષિકા વસાવાએ શિબિરમાં વિદ્યાર્થીઓને વોકેશનલ એજ્યુકેશન, કારકિર્દી માર્ગદર્શન, અનુબંધમ ગુજરાત પોર્ટલ, એન.સી.એસ પોર્ટલ સહિત સ્વરોજગારી અને રોજગાર સેતુ હેલ્પલાઇન વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં અનુબધમ પોર્ટલ, એનસીસી અને કેરિયર કોર્નર અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવાનો મહત્વ પૂર્ણ આશય શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ માટે રોજગારી માટે તક ઉભી કરવાનું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application