સુરત જિલ્લાનાં માંગરોળનાં લીમોદરા ગામે નહેરના કિનારે હાથ મો ધોવા જતા ૩૫ વર્ષીય રાજસ્થાની ઇસમનો પગ લપસી ગયો હતો. ત્યારબાદ તેનું નહેરમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતુ.
મળતી માહિતી અનુસાર, રાજસ્થાનનાં ભિલવાડા જિલ્લાનાં નયાબજાર શાહપુરાનાં ૩૫ વર્ષીય રાહુલભાઈ જગદિશભાઈ મુદરા ત્રણ દિવસ પહેલા પીપોદરામાં સુપરવાઈઝર તરીકે નોકરી પર આવ્યા હતા. દરમિયાન પીપોદરા હાઈવે પર લીમોદરા ગામ સુધી કાકરાપાર જમણા કાઠાની નહેરની બાજુમાંથી પસાર થતા રોડનું કામ ચાલુ હોય, રાહુલભાઇ લીમોદરા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની નહેરના કિનારે હાથ મો ધોવા માટે ગયા હતા. રાહુલભાઈનો પગ લપસી ગયો હતો. તેથી તેઓ નહેરનાં ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા. તેમનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસે ગુનો નોંધી કાયદેસરની હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application