સુરત શહેરના અમરોલીમાં રહેતા અને ફરસાણની દુકાનમાં નોકરી કરતા યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે ફરસાણની દુકાનમાં નોકરી કરતા ત્રણ સગા ભાઈઓ પૈકી એક ભાઈએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે. અમરોલી વિસ્તારમાં આવેલ મહાકાળી માતાના મંદિર નજીક નવી કોલોનીમાં રહેતો ૪૦ વર્ષિય બળવંત મંછુભાઈ રાઠોડ બે ભાઈઓ સાથે ફરસાણની દુકાનમાં નોકરી કરીને પત્ની અને બુ પુત્રનું ગુજરાન ચલાવી રહ્યો હતો.
પત્ની પણ ધાંગા કટિંગનું કામ કરીને ઘર ચલાવવામાં પતિને મદદરૂપ થઈ રહી હતી. બળવંતે ૧૬ જાન્યુઆરીના રોજ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા પરિવારને જાણ થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ૨૯ દિવસની લાંબી સારવારમાં ૧૩ ફેબ્રુઆરીના સાંજના સમયે મોત થયું હતું. બનાવને લઈને અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસમાં મૃતક પરિવારનું ગુજરાન ચલાવી શકતો ન હોવાથી તેણે આર્થિક સંકડામણમાં આવીને આપઘાતનું આ પગલું ભરી લીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application