Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશ અભ્યાસ કરવા જવાની ના પાડતા યુવતીનો આપઘાત

  • October 08, 2021 

વ્યારા નગરના આર્જવ એન્કલવમાં રહેતા અનિલભાઈ હસમુખભાઈ ચૌધરીની 17 વર્ષીય પુત્રી જે સાઉથ કોરિયા ખાતે અભ્યાસ અર્થે જવાનું કહેતી હોય પરંતુ તેણીના પિતાએ ઉંમર નાની હોય અમદાવાદ ખાતે જ અભ્યાસ કરવા કીધું હતું અને 18 વર્ષની ઉંમર થઈ જશે પછી પાસપોર્ટ કઢાવી ભણવા માટે જઈ શકે છે તેમ કહ્યું હતું. પરંતુ આ બાબતે યુવતીને મનમાં ખોટું લાગી આવતા તેને બુધવારના રોજ બપોરના સમય દરમિયાન ઘરના પ્રથમ માળે જઈ રૂમમાં આવેલ લોખંડની એંગલ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે યુવતીની મોટી બહેનની ફરિયાદના આધારે વ્યારા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application