ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે તા.૩૦મી જાન્યુઆરીના રોજ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે સમગ્ર દેશ અને રાજ્યની સાથે નવસારી જિલ્લામાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
તેમજ જિલ્લાની અન્ય સંસ્થાઓમાં પણ શહીદ વંદના કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીના પરિસરમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર વાય. બી. ઝાલાની ઉપસ્થિતિમાં વહીવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓએ બે મિનિટ મૌન પાળીને સ્વદેશ માટે આહૂતિ આપનાર શહીદ વીરોનું ઋણ અદા કરવામાં આવ્યું હતું. તદુપરાંત નવસારી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક અને વાણિજ્ય સંસ્થાઓ ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application