Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડમાં વિશ્વ સાયકલ દિને આદિજાતી વિકાસ મંત્રીએ સાયકલોથોનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

  • June 04, 2022 

વલસાડ શહેરમાં વિશ્વ સાયકલ દિન નિમિત્તે અંગદાન મહાદાનની જાગૃતિ માટે યોજાયેલી સાયકલોથોનને આદિજાતિ વિકાસ, અન્ન પુરવઠા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લામાં 401 સાયકલસવારો સાયકલોથોનમાં જોડાયા હતા.આ સાથે શહેરની નામાંકિત સેવાભાવી સંસ્થાઓ પણ જોડાઈ હતી.




વલસાડ સર્કિટ હાઉસથી તિથલ બીચ થઈ સ્વામિનારાયણ મંદિરથી પરત રેલીનો રૂટ રાખવામાં આવ્યો હતો. વલસાડ ધારાસભ્ય, પારડી પી.આઇ, જિલ્લા બાળ કલ્યાણ સમિતિ અધ્યક્ષ, જિલ્લા યુથ ભાજપ પ્રમુખ, ભીડ ભંજન ટ્રસ્ટના મહંત શિવજી મહારાજ સહિત વલસાડ જિલ્લાના સામાજિક સંસ્થાઓના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં સાયકલસવારો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application