Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંકલાવના બામણગામ નજીક ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણ યુવકનાં ઘટના સ્થળ પર મોત

  • April 08, 2025 

આણંદના આંકલાવના બામણગામ નજીક ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે. ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણ યુવકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. મળતી માહિતી મુજબ, ત્રણેય યુવકો સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટના બાદ ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


આંકલાવ પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક ત્રણેય યુવકો પાદરાના મુજપુર ગામના વતની છે. આંકલાવના બામણગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ગંભીર ઇજાઓ પહોંચતા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતાં બાઇક પર સવાર ત્રણ યુવકો રોડની સાઈડ પર ફંગોળાયા હતા. મૃતક ત્રણેય યુવકો પાદરાના મુજપુર ગામના વતની છે. યુવકો મોટી સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application