Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય રિઝર્વ બેંક દ્વારા બ્રિટનમાંથી 100 ટનથી વધુ સોનું પાછું લવાયું અને તેને અનામતમાં સ્થાનાંતરિત કર્યું

  • June 01, 2024 

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા બ્રિટનમાંથી 100 ટનથી વધુ સોનું પાછું લવાયું છે અને તેને તેના અનામતમાં સ્થાનાંતરિત કર્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આવતા મહિનામાં ફરી એટલો જ જથ્થો પીળી ધાતુ દેશમાં લાવવામાં આવી શકે છે. વર્ષ 1991માં ગીરવે મૂકેલું આ સોનું પ્રથમ વખત ના ભારતીય રિઝર્વ બેંકના સ્ટોકમાં સામેલ કરવામાં આવ્યું છે. આરબીઆઈના અડધાથી વધુ સોનાના ભંડાર વિદેશમાં બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. આમાંથી લગભગ ત્રીજા ભાગને સ્થાનિક રીતે રાખવામાં આવે છે. બ્રિટનથી ભારતમાં સોનું લાવવાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સ્ટોરેજ કોસ્ટ (RBI ગોલ્ડ સ્ટોક કોસ્ટ) બચાવવામાં પણ મદદ મળશે, જે બેંક ઓફ ઈન્ડિયાને ચૂકવવામાં આવે છે. 


દેશની અંદર મુંબઈ અને નાગપુરમાં મિન્ટ રોડ પર આવેલી ભારતીય રિઝર્વ બેંકના બિલ્ડિંગમાં આવેલી તિજોરીઓમાં સોનું રાખવામાં આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, વૈશ્વિક કેન્દ્રીય બેંકો અત્યાર સુધીના તમામ સોનામાંથી લગભગ 17 ટકા હિસ્સો ધરાવે છે અને 2023 ના અંત સુધીમાં, અનામત 36,699 મેટ્રિક ટનને વટાવી જશે.ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક ડેટા અનુસાર, કેન્દ્ર સરકાર પાસે 31 માર્ચ, 2024 સુધીમાં તેના વિદેશી વિનિમય અનામતના ભાગ રૂપે 822.10 ટન સોનું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 794.63 ટન કરતાં વધુ હતું. 1991માં, ચંદ્રશેખર સરકારે બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટીનો સામનો કરવા માટે સોનું ગીરો મૂક્યું હતું. 4 થી 18 જુલાઈ, 1991 ની વચ્ચે, આરબીઆઈએ $400 મિલિયન એકત્ર કરવા માટે બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન સાથે 46.91 ટન સોનું ગીરવે મૂક્યું હતું. 


વર્ષ 1991માં દેશમાં આયાત કરવા માટે કોઈ વિદેશી ચલણ બચ્યું ન હતું. ત્યારે ભારતે તેનું 67 ટન સોનું ગીરો મૂકીને 2.2 અબજ ડોલરની લોન લીધી હતી. પૂર્વ ગવર્નર સી રંગરાજને તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે સરકારે સોનું ગીરો રાખવાનો નિર્ણય લીધો હતો, મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન ઊભું હતું. આ સોનું આ પ્લેનમાં રાખવામાં આવ્યું હતું, પ્લેન સોનું લઈને ઈંગ્લેન્ડ ગયું હતું. ત્યારબાદ ભારતને લોન મળી. ત્યારપછી ભારતને ગીરો મુકેલું સોનું રિડીમ મળ્યું, ત્યાર બાદ ધીરે ધીરે દેશની વિદેશી મુદ્રા ભંડારમાં પણ વધારો થયો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application