Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : મકાન ખાલી કરાવવા યુવકને ધમકી, પિતા-પુત્ર સામે ફરિયાદ

  • January 05, 2021 

સચીન ગોકુલનગર સોસાયટીમાં રહેતા યુવક સાથે મકાનનો સોદો કેન્સલ કરી સોદા પેટે લીધેલા પૈસા પરત નહી કરી મકાન ખાલી કરવા ધમકી આપનાર મિશ્રા પિતા-પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાયી છે.

 

 

સચીન પોલીસના જણાવ્યા મુજબ કનકપુર ગોકુલનગર સોસાયટીમાં રહેતા રવિરાજ લલનપ્રસાદ મહંતોએ તેની બાજુમાં રહેતા કાશીનાથ શિવજી મિશ્રા, તેના છોકરા આકાશ અને પ્રકાશ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં રવિરાજે જણાવ્યું હતું કે તેઓએ કાશીનાથ પાસેથી મકાન ખરીદ્યું હતું અને તેના સાટાખાત પણ બનાવ્યા હતા. દરમિયાન પાછળથી કાશીનાથે મકાન વેચવાનું નથી અને સોદો કેન્સલ કરવો છે અને રૂપિયા ૨.૫૦ લાખ રિટર્ન આપ્યા હતા જાકે બાકીના નિકળતા પૈસાની માંગણી કરવા છતાંયે પૈસા નહી આપી મકાન ખાલી કરવા માટે દબાણ કરતા હતા. આરોપીઓએ રવિરાજને ઘરની બહાર મળી મકાન ખાલી કરવા માટે ધમકી આપી હતી જાકે રવિરાજે બાકીના પૈસાની માંગણી કરતા ઉશ્કેરાઈને મકાન ખાલી કરી દે રૂપિયા મળશે નહી અને રૂપિયા માંગશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે રવિરાજની ફરિયાદ લઈ મિશ્રા પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News