Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : બંધ મકાનમાંથી ૧.૭૯ લાખની ચોરી

  • January 05, 2021 

પાંડેસરા આવીર્ભાવ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિસાન બનાવ્યો હતો. તસ્કરોએ ડુપ્લીકેટ ચાવીથી મુખ્ય દરવાજાનો લોક ખોલી અંદર પ્રવેશ કરી કબાટમાંથી રોકડ રકમ અને અલગ-અલગ દાગીના મળી કુલ રૂપિયા ૧.૭૯ લાખના મતાની ચોરી કરી નાસી ગયા હતા

 

 

આ બનાવ અંગે પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ આવીર્ભાવ સોસાયટીમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના બીડ જીલ્લાના વતની સચીન અશોકભાઈ મીસાલ(ઉ.વ.૨૮)ના મકાનમાં બપોરથી લઈ સવાર સુધીના સમયગાળામાં ચોરી થઈ હતી. અજાણ્યાએ  સચીનના મકાનના મુખ્ય દરવાજાનુ લોક ડુપ્લીકેટ ચાવીથી ખોલી અંદર ઘુસ્યા હતા. અને પતરાના કબાટમાંથી અળગ અલગ દાગીના, રોકડા ૧૬ હજાર, કાંડા ઘડીયાળ સહિત કુલ રૂપિયા ૧,૭૯,૧૦૦ના મતાની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે સચીન મીસાલની ફરિયાદ લઈ આગળ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News