સુરત જિલ્લાનાં ઉમરપાડાનાં ચિતલદા ગામના ખેડૂતની કારનો દોઢ લાખમાં સોદો કરી ઝંખવાવનાં ૩૪ હજાર રૂપિયા આપી કાર અને ડોક્યુમેન્ટ લઈ ગયા બાદ બાકી રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરપાડાનાં ચિતલદા ખાતે રહેતા અને ખેતી કામ કરતા ૩૯ વર્ષીય રાજેશભાઈ વસાવાએ તેમની રેનોલ્ટ કંપનીની કીગર આરએક્સઝેડ કાર નંબર જીજે/૧૯/બીઈ/૫૬૧૯ને ઝંખવાવના ઝાકીર મુલતાનીને દોઢ લાખમાં વેચી દીધી હતી.
ઝાકીરે નક્કી થયેલા સોદા મુજબ દોઢ લાખમાં સોદો કરી માત્ર ૩૪ ચૂકવ્યા ૩૪ હજાર રૂપિયા ખેડૂત રાજેશભાઈને આપી વિશ્વાસ કેળવી કાર અને આરસી બુક, વિમા પોલીસી, બંને ચાવી સાથે કાર લઇને ચાલ્યો ગયો હતો. ખેડૂતે કારનાં બાકીનાં નાણાં માટે ઝાકીરને વારંવાર ફોન કર્યા હતા. પરંતુ ઝાકીરે ગલ્લા તલ્લા કરી રૂપિયા નહીં ચુકવીને હાથ અધ્ધર કરી દીધા હતા. છેતરપિંડી થયાનું જણાતા ખેડૂત રાજેશભાઈએ ઉમરપાડા પોલીસ મથકે ઝાકીર હુસેન જુમ્માભાઈ મુલતાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application