Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીનાં તલાવચોરા બારોલિયા ગામે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

  • April 11, 2025 

ચીખલી તાલુકાનાં તલાવચોરા બારોલિયા સંજયફાર્મ પાસેથી પાંચ વર્ષીય દીપડો પાંજરે પુરાતા સ્થાનિકો અને વનવિભાગે રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી મુજબ, તલાવચોરા બારોલીયા સંજયકાર્મ પાસે 3 એપિલના રોજ સવારના સમયે ખેડુત ખાતેદાર તેમના પશુપાલક માટે પાસચારો કાપવા માટે ગયા હતા. ત્યારે અચાનક દીપડો તેની સામેથી પસાર થઈ જતા ભારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો.


આ અંગે અંકુરભાઈ દિનેશભાઈ પટેલે વનવિભાગના આરએફઓને ટેલીફોનિક જાણ કરી હતી. આથી વનવિભાગ દ્વારા જરુરી સર્વે કરીને ૨ એપ્રિલના રોજ નિલમભાઈ ગુલાબભાઈ પટેલના ખેતરમાં પાંજરુ ગોઠવવામાં આવ્યુ હતુ આ દરમિયાન ગુરુવાર નારોજ વહેલી સવારના ૪:૩૦ વાગ્યાના અરસામાં શિકારની શોધમાં આવી ચઢેલો દીપડો (ઉ.આ.૫)પાંજરે પુરાતા સ્થાનિકો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો લોકોને જોઈ દીપડાએ પાંજરામાંથી છૂટવા માટે ભારે ધમપછાડા કર્યા હતા અને તેની ગર્જનાને કારણે દીપડાને જોવા આવેલા મોટી સંખ્યામાં લોકો પણ ડરી ગયા હતા વનવિભાગ દ્વારા દીપડાનો કબ્જો લઈ વેટરનીટી ડોકટર પાસે જરૂરી તપાસ કરાવ્યા બાદ ૫ વર્ષીય નર દીપડાને વનવિભાગમાં સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application