Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિમારીથી કંટાળી જઈ વૃદ્ધાએ એસીડ પી લેતાં સારવાર દરમિયાન મોત

  • December 25, 2021 

બીલીમોરા નજીકના ઉંડાચ વાણિયા ફળિયા ગામે રહેતા વૃદ્ધા લાંબા સમયથી બ્લડ પ્રેશરની બિમારીના કારણે માનસિક તાણ અનુભવતા હતા જેથી તેમના ઘરમાં એસીડ પી જતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉંડાચ વાણિયા ફળિયાના પટેલ ફળિયામાં રહેતા લીલાબેન રાજેશભાઈ પટેલ (ઉ.વ. 52) છેલ્લા લાંબા સમયથી બ્લડ પ્રેશરની બિમારીના કારણ પીડાતા હતા જેથી બિમારીના કારણે તેમનો સ્વભાવ ચીડિયો બનતાં તેઓ માનસિક તાણ પણ અનુભવતા હતા અને બિમારીની પીડા અસહ્ય બનતા લીલાબેને તેના ઘરની પાછળ રાખેલ ટોયલેટ સાફ કરવાનું એસિડ પી ગયા હતા.ત્યારબાદ આસપાસના લોકોએ તેમને પ્રથમ નાંદરખાની હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. મૃતકના પુત્ર રસિક રાજેશભાઈ પટેલે આ સમગ્ર ઘટના અંગે બીલીમોરા પોલીસને જાણ કરી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાની નોંધ લઇ મૃત્યુ પાછળના કારણો જાણવા આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application