Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર ગેસની લાઈન તૂટતા ભીષણ આગ લાગી

  • May 07, 2025 

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. ટોરેન્ટ ગેસની લાઈન તૂટતા વિકરાળ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.મળતી માહિતી અનુસાર જુનાગઢના ઝાંઝરડા રોડ પાસે ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ગેસ લાઇન તૂટતાં ભયંકર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ વિકરાળ આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


તો બીજી તરફ વિકરાળ આગે સાતથી આઠ વાહનો અને આઠ જેટલી દુકાનોને ચપેટમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં ફાયર અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલ આગ ઓલવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જયારે વધુમાં આ આગમાં રૂપિબેન શૈલેષ ભાઈ સોલંકી, ભક્તિબેન શૈલેષભાઈ સોલંકી અને હિરેનભાઈ રાબડીયા નાંઓના મોત નિપજયાં હતા. આ વિસ્તારમાં આસપાસ ખાણીપીણીને દુકાનો અને પાનના ગલ્લા આવેલા હોવાથી આગ ઝડપથી ફેલાઇ હતી. ફાયરની ટીમ આગ ઓલવવા માટે સતત પાણીનો મારો ચલાવી રહી છે. આગના બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ સહિતના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ આ રોડ કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application