Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તહેવારને ધ્યાનમાં રાખી ગાંધીનગર એસ.ટી. ડેપો દ્વારા વધારાની બસ દોડાવવાનો નિર્ણય કરાયો

  • September 04, 2023 

પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સાતમ-આઠમના તહેવારોનો મહિમા અનેરો હોય છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ તહેવારના દિવસો દરમિયાન વિવિધ ધામક પ્રવાસ તેમજ પોતાના વતન તરફ જતા હોય છે. તેમને અવરજવરમાં સરળતા રહે તે માટે એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત ગાંધીનગર એસટી ડેપો દ્વારા પણ મુસાફરની માંગને ધ્યાને રાખીને વધારાની બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પવિત્ર શ્રાવણ માસમાં સૌથી મોટા ગણાતા સાતમ-આઠમના તહેવારનો રવિવારથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો વિવિધ ધામક સ્થળોની મુલાકાત લેવાની સાથે સાથે રજાના દિવસોમાં પોતાના વતન તરફ પણ દોટ લગાવતા હોય છે.



ત્યારે તહેવારોના દિવસમાં અવરજવર કરવામાં સરળતા મળી શકે તે માટે એસટી તંત્ર દ્વારા પણ ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. બોળચોથ સાથે સાતમ-આઠમના તહેવારના દિવસો શરૃ થાય છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લોકોની અવરજવર પણ મોટી સંખ્યામાં આ દિવસો દરમિયાન થતી હોય છે. જેથી મુસાફરની માંગને ધ્યાને રાખીને ગાંધીનગર એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દાહોદ, ગોધરા સહિત ઉત્તરગુજરાતના વિવિધ વિસ્તારો તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા રાજ્યના ધામક સ્થળો ઉપર મુસાફરોને અવરજવરમાં સરળતા મળી શકે તે માટે બસનું સંચાલન કરવામાં આવશે. નગરજનોને પણ બસની યોગ્ય સુવિધા મળી શકે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application