Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

GST કાઉન્સિલની 48મી બેઠકમાં દાળની છાલ પરનો GSTને નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

  • December 20, 2022 

GST કાઉન્સિલની 48મી બેઠક આજે પૂર્ણ થઈ ગઈ છે. જોકે આ બેઠકમાં GST કાઉન્સિલ દ્વારા ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયોથી સામાન્ય જનતાને મોંઘવારીમાંથી થોડી રાહત મળી શકે છે. કારણ કે આ વખતે GST કાઉન્સિલમાં કોઈ પર ટેક્સ વધારવામાં આવ્યો નથી. જોકે ટેક્સમાં ચોક્કસપણે ઘટાડો કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ ટેક્સ ઘટાડવાની રાહ જોઈ રહ્યા હતા. આ નિર્ણય આવતા હવે લોકો ખુશ થવાના છે. જેમાં GST કાઉન્સિલની 48મી બેઠક બાદ મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી. સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, અત્યાર સુધી દાળની છાલ પર 5 ટકાના દરે GST લાગતો હતો.




જયારે હવે કઠોળની છાલ પર GST નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મતલબ કે હવે કઠોળની ભૂકી પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે કે GST કાઉન્સિલની 48મી બેઠકમાં દાળની છાલ પરનો GSTને નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GST કાઉન્સિલની બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ બેઠક વિશે માહિતી આપતાં જણાવ્યુ કે, GST કાઉન્સિલની 48મી બેઠકમાં કોઈપણ સામાન પર ટેક્સ વધારવામાં આવ્યો નથી. આ ઉપરાંત નિર્મલા સીતારમણે કહ્યું કે કોઈ નવો કર લાવ્યા નથી. આ બેઠક દ્વારા જ્યાં અર્થઘટનમાં અસ્પષ્ટતા હતી ત્યાં સ્પષ્ટતાઓ પુરી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News