Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત પોલીસનો માનવીય અભિગમ : આત્મહત્યા કરવા જઈ રહેલા યુવકનો જીવ બચાવ્યો

  • June 04, 2022 

દિનરાત ખડેપગે રહેતી સુરત પોલીસનો આજે માનવીય ચહેરો પણ સામે આવ્યો છે. સુરત શહેરમાં અણુવ્રત દ્વાર પાસે સવારે ૧૦.૪૫ વાગે ૨૩ વર્ષીય ધવલ વિષ્ણુભાઈ બારોટ કોઈ અગમ્ય કારણોસર ઓવરબ્રિજ પરથી આત્મહત્યા કરવાના ઈરાદા સાથે પસાર થઈ રહ્યો હતો. જેથી એક જાગૃત્ત યુવકે બ્રિજની નીચે ટ્રાફિક પોઈન્ટ, ચાર રસ્તા પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફને જાણ કરી હતી.




જેથી હે.કો.મહેશભાઈ બદુભાઈ રાઠોડ, એલ. આર. જીતેશ જીવાભાઈ તથા એલ. આર.રમેશભાઈ ભરાભાઈ તથા મહિલા કોન્સ્ટેબલ કોમલબેન તથા ટી.આર.બી. અતુલભાઈ તથા આશાબેને જઈને યુવક સમજાવીને નીચે લાવી ઓફિસમાં બેસાડીને એક કલાક સુધી આત્મહત્યા ન કરવા સમજાવ્યો હતો. આ યુવક ધવલ બારોટના કાકા ગોવિંદભાઈ નટવરલાલ બારોટ તથા પિતા વિષ્ણુભાઈ નટવરલાલ બારોટને જાણ કરીને ધવલને સહીસલામત સોંપ્યો હતો. આમ, સુરત શહેર પોલીસની માનવીય અભિગમના પરિણામે એક યુવકની જિંદગી બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. પોલીસ સ્ટાફની હકારાત્મક કામગીરીથી અન્ય વિભાગોને પણ પ્રેરણા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application