Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફિરોઝાબાદનાં કાઠ બજારમાં લાગેલ ભીષણ આગે ભારે તબાહી મચાવી, આગનાં કારણે કરોડોનું થયું નુકસાન

  • October 29, 2023 

ઉત્તરપ્રદેશનાં ફિરોઝાબાદ જિલ્લામાં લાગેલી ભીષણ આગે ભારે તબાહી મચાવી છે. જેમાં કોટલા રોડ સ્થિત રામલીલા મેદાનના કાઠ બજારમાં રાત્રે 3:30 વાગ્યે ભીષણ આગ લાગી ગઈ હતી. જેના કારણે એક કલાકમાં જ સૌથી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે આગરા અને મૈનપુરીથી ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી. આગના કારણે કરોડોનું નુકસાન થયું છે. ઉત્તરપ્રદેશનાં કાઠ બજારમાં બસોથી વધુ દુકાનો છે. આગની શરૂઆત રામ દ્વાર પાસેથી થઈ હતી. એવું માનવામાં આવે છે કે, ટ્રાન્સફોર્મરમાંથી સ્પાર્ક થવાના કારણે આસપાસની દુકાનોમાં આગ લાગી ગઈ હતી.



ત્યારબાદ આ આગ ફેલાતી જ રહી. સવારે પોણા ચાર વાગ્યાના અરસામાં બજારમાં સૂતેલા દુકાનદારો અને મજૂરોને આ અંગેની જાણ થતાં નાસભાગ મચી ગઈ હતી. તેઓએ તેમની દુકાનોમાંથી સામાન કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ સફળ નહીં થયા. આગ લાગ્યા બાદ પણ લાંબા સમય સુધી અવિરત વીજ પુરવઠો હોવાના કારણે વીજ વાયરોમાં પણ આગ લાગી હતી. જયારે 4:30 વાગ્યાથી ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચવા લાગી હતી. આગની વિકરાળતાને ધ્યાનમાં રાખી સમગ્ર જિલ્લામાંથી ફાયર બ્રિગેડને બોલાવવાની સાથે આગ્રા અને મૈનપુરીથી પણ ગાડીઓ મંગાવવામાં આવી હતી. જયારે ઘટના વાળા સ્થળ ઉપર મેયર, શહેરના ધારાસભ્ય, એસપી સિટી, સિટી મેજિસ્ટ્રેટ, સીઓ સિટી ફોર્સ સાથે કાઠ બજારમાં પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application