Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરપ્રદેશનાં સહરાનપુર ખાતે ફટાકડાંની ફેક્ટરીમાં વિસ્ફોટ : 5નાં મોત, 1ની હાલત ગંભીર

  • May 08, 2022 

ઉત્તરપ્રદેશનાં સહરાનપુર ખાતે ફટાકડાંની લાઈસન્સ ધરાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ થવાના કારણે 5 લોકોના મોત થયા છે, જ્યારે 1ની હાલત ગંભીર છે. મૃતકોમાં લાઈસન્સ લઈને ફેક્ટરીનું સંચાલન કરી રહેલા શખ્સનો પણ સમાવેશ થાય છે. જોકે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા શખ્સને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને બાદમાં વધુ સારવાર માટે ચંદીગઢ પીજીઆઈ રેફર કરી દેવામાં આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે ફેક્ટરીમાં 7 થી 8 લોકો કામ કરી રહ્યા હતા.



વિસ્ફોટની આ ઘટના સરસાવા ક્ષેત્રના સૌરાણા પાસે બલવંતપુર ગામમાં બની હતી. તમામ મૃતકો સરસાવાના સલેમપુર થાણા ક્ષેત્રના રહેવાસી હતા અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સહરાનપુરમાં ફટાકડાંની ફેક્ટરીમાં બનેલી દુર્ઘટનામાં લોકોના મોત થવા અંગે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે દિવંગત આત્માઓની શાંતિની કામના કરીને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application