Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ત્રિપુરા રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા

  • April 12, 2025 

ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. મ્યાનમારમાં તાજેતરમાં આવેલા વિનાશક ભૂકંપ અને હજારો લોકોના મોતથી લોકો હજુ પણ ભયભીત છે, ત્યારે શુક્રવારે ભારતનાં ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત ત્રિપુરા રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શુક્રવારે ત્રિપુરાની રાજધાની અગરતલા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ હળવી તીવ્રતાનો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.


નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રિપોર્ટ મુજબ ભૂકંપનું કેન્દ્ર ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હતું. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી છે. આ ભૂકંપ શુક્રવારે સાંજે લગભગ 4:23 વાગ્યે આવ્યો હતો. બીજી તરફ દિલ્હીમાં PWD વિભાગે તમામ મહત્વપૂર્ણ ઈમારતોનો સર્વે કરીને તેમને ભૂકંપ પ્રતિરોધક બનાવવાનો આદેશ જારી કર્યો છે. મ્યાનમારમાં તાજેતરમાં આવેલા ભૂકંપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. પીડબ્લ્યુડી દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘હોસ્પિટલો, શાળાઓ, ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન અને અન્ય મહત્વપૂર્ણ ઈમારતોમાં તપાસો કે શું આ ઈમારતોને ભૂકંપ સહિતની આપત્તિથી બચાવવા માટે ફેરફાર કરવાની જરૂર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application