ભરૂચનાં ઝઘડિયા તાલુકાનાં અંધારકાછલા ગામ નજીક ટ્રક પલટી મારતા ચાલક ટ્રક નીચે દબાઈ જતાં ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મુળ જંબુસર તાલુકાના દેવકુઈ ગામનો ગામનો રહીશ પ્રભાત સોમાભાઈ ઠાકોર પત્ની અને બાળકો સાથે અંધારકાછલા ખાતે રહેતો હતો. પ્રભાત ઝઘડિયા ખાતે નોકરીએ ગયો હતો.
ત્યારબાદ સાંજે પત્નીને ફોન કરીને જણાવેલ કે, તે ઝઘડિયાથી ટ્રક લઈને ઘરે આવે છે. ત્યારબાદ તેની ટ્રક ઝઘડિયાથી અંધારકાછલા જવાના માર્ગ નજીક પલટી મારી જતા પ્રભાત નીચે દબાઈ ગયો હતો. આ ઘટનામાં પ્રભાત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ગંભીર રીતે જખ્મી થયેલ પ્રભાતનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતક પ્રભાતની પત્ની જશોદાબેન ઠાકોરે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application