Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી હુમલો કરી ઉડાવી દેવાની ધમકી

  • August 09, 2022 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી હુમલો કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ વખતે પણ યુપી-112માં વોટ્સએપ નંબર પર મેસેજ મોકલીને ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનાર વ્યક્તિએ તેનું નામ શાહિદ જણાવ્યું હતું અને કહ્યું કે, તેને ત્રણ દિવસમાં બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.




આ અંગે સુશાંત ગોલ્ફ સિટી કોતવાલીમાં FIR દાખલ કરવામાં આવી છે. પોલીસ પ્રશાસન અને ગુપ્તચર એજન્સી આ મામલે તપાસ કરી રહી છે. કંટ્રોલ રૂમ યુપી-112નાં ઓપરેશન કમાન્ડર સુભાષ કુમારે FIR નોંધાવી છે કે, 2 ઓગસ્ટની સાંજે ઓપરેશન ઈન્ટરનેટ મીડિયાના વોટ્સએપ નંબર પર એક મેસેજ આવ્યો હતો કે, મુખ્યમંત્રી યોગીને ત્રણ દિવસમાં બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.




જયારે સુભાષે આ માહિતી ઓબ્ઝર્વેશન ઓફિસર અંકિતા દુબેને આપી હતી. પોલીસે આ મેસેજનો સ્ક્રીન શોટ ગુપ્તચર એજન્સીઓને પણ આપ્યો છે. આ અગાઉ પણ મુખ્યમંત્રીને આવા મેસેજ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી ચૂકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application