Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નદીમાં ન્હાવા ગયા બાદ ડૂબી જવાથી તરૂણનું મોત નિપજ્યું

  • September 02, 2024 

ગોંડલનાં વેજા ગામ રહેતા તરૃણ મિત્રો સાથે નદીઓ ન્હાવા ગયા બાદ ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે તરૂણનાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. જ્યારે સુલતાનપુર ગામે નદીમાં લપસી જતા તરૂણીનું ડૂબી જતા મોત થયું હતું. વેજાગામ રહેતા સાહીલ દિનેશભાઇ પરમાર (ઉ.વ.૧૪) તેના બે મિત્રો સાથે વેજાગામ ગરનાળા રસ્તે આવેલી છાપરવાડી નદીમાં ન્હાવા ગયો હતો. ત્રણેય મિત્રો ન્હાવાની મજા લઇ રહ્યા હતા.


તે દરમ્યાન નદીનાં વહેણમાં તણાઇ જતા સાહીલનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. સાહીલનાં મૃતદેહને નદીમાંથી બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સાહીલ બે ભાઇઓમાં મોટો હતો. તેના પિતા પરચુરણ વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. ગોંડલના સુલતાનપુર ખાતે સામાકાંઠા વિસ્તારમાં રહેતા નિશાબેન મુકેશભાઇ રાઠોડ (ઉ.વ. ૧૩) તેમની બહેન મનીષા તથા તેમના ફઇ સાથે સુલતાનપુરી નદીમાં તેમના ઘર સામે કપડા ધોવા ગયેલ હતા અને કપડાં ધોતા ધોતા અચાનક પાણીમાં પગ લપસી જતા નદીમાં ડૂબી ગયેલ અને તેની લાશ પચાસેક મીટર દૂર બેઠી ધાબીના પાણી નિકાલના ભૂંગળામાં સલવાઇ જતા તેને ભારે જહેમત બાદ બહાર કાઢી પીએ માટે ખસેડાઇ હતી. આગળની તપાસ સુલતાનપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. હિતેશભાઇ ગરેજા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News