ધરમપુરના હનમતમાળ ગામેથી પસાર થઈ રહેલા ગામના બાઇક ચાલકે તેની બાઈક જામલીયા ગામના દંપત્તિની બાઈક સાથે અથડાવીને અકસ્માત સજર્યો હતો. આ અકસ્માતમાં બંને બાઈક પર સવાર ચારેય વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. જે પૈકી અકસ્માત સર્જનાર બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ધરમપુર તાલુકાના જામલીયા ગામના મંદિર ફળીયા ખાતે રહેતા નગીનભાઈ રામુભાઈ ગવળી તેમની બાઈક નંબર જીજે/૨૧/ડી/૮૪૦૯ લઈ તેમની પત્ની ચંપાબેન સાથે ચોંઢા ગામે સ્કૂલમાં ભણતા બાળકોને મુકવા માટે ગયા હતા. બાળકોને મૂકી તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા.
જે દરમિયાન હનમતમાળ ગામના જાગીરી ફળીયા ખાતેથી પસાર થતી વેળાએ સામેથી રોંગ સાઈડે આવી રહેલી બાઈક નંબર જીજે/૨૧/એપી/૮૭૩૩ના ચાલક પ્રજ્ઞેશભાઈ મલજુભાઈ ગાંવિત (રહે.જાગીરી ફળિયુ, હનમતમાળ)એ તેની બાઈક નગીનભાઈની બાઈક સાથે અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં અકસ્માત સર્જનાર બાઈક ચાલક, તેની બાઈક પર સવાર કૃણાલ અશ્વિનભાઈ ગાવિત અને અન્ય બાઈક સવાર દંપત્તિ મળી ચારેય વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પ્રજ્ઞેશ અને કૃણાલને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલોમાં લઈ જવાયા હતા .જ્યાં પ્રજ્ઞેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે ઘટના અંગે નગીનભાઈની પત્ની ચંપાબેને અકસ્માત સર્જનાર પ્રજ્ઞેશ સામે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application