Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રાથમિક શાળામાં 26 વર્ષથી કાર્યરત શિક્ષકનાં ધોરણ-12ની માર્કશીટ નકલી હોવાનુ બહાર આવતા સેવામાંથી બરતરફ કરાયા

  • June 01, 2023 

ઉત્તરપ્રદેશનાં દાદરીની પ્રાથમિક શાળામાં શિક્ષકના પદ પર કાર્યરત જોગેન્દ્ર સિંહની ધોરણ-12ની માર્કશીટ નકલી હોવાનુ બહાર આવતા તેમને સેવામાંથી બરતરફ કરી દેવાયા. શિક્ષણ અધિકારીએ 26 વર્ષની નોકરી દરમિયાન મળેલા પગાર અને અન્ય લાભની રિકવરીના આદેશ આપ્યા છે. આ સાથે જ બ્લોક એજ્યુકેશન ઓફિસર દાદરીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોગેન્દ્ર સિંહની નિમણૂક તેમના પિતાનું મૃત્યુ થવાના કારણે 9 ઓગસ્ટ 1997માં મૃત આશ્રિત ક્વોટા હેઠળ થઈ હતી.



તે સમયે તેમને ગ્રેડ પે સ્કેલ 850 પર રાખવામાં આવ્યા હતા. વર્ષ 2020માં તેમને ગ્રેડ પે સ્કેલ 4500 પર રાખવામાં આવ્યા અને વર્તમાન સમયમાં તેમને લગભગ 80 હજાર રૂપિયા દર મહિને પગાર તરીકે મળતા હતા. ઉલ્લેખનીય છે કે, મેરઠમાં રહેતા મનોજ કુમારે ફેબ્રુઆરીમાં ચાર શિક્ષકોની ફરિયાદ કરી હતી. મનોજ કુમારે ફરિયાદમાં ચારેય શિક્ષકોના શૈક્ષણિક ડોક્યુમેન્ટની તપાસ કરાવવાની માંગણી કરી હતી. ફરિયાદ મળતા મેરઠ બોર્ડ કાર્યાલયથી જોગેન્દ્ર સિંહના શૈક્ષણિક ડોક્યુમેન્ટની તપાસ કરાવવામાં આવી.



મેરઠ બોર્ડ કાર્યાલય તરફથી 17 એપ્રિલે જોગેન્દ્ર સિંહની ધોરણ-12ની નકલી માર્કશીટની જાણકારી વિભાગને મળી. વિભાગ તરફથી અન્ય કાયદાકીય કાર્યવાહી પૂરી કર્યા બાદ તારીખ 12 મે એ જોગેન્દ્ર સિંહની નોકરી પૂર્ણ કરી દેવાઈ. વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર જોગેન્દ્ર સિંહ વિરુદ્ધ 420, 467, 468, 471 હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી. નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને નોકરી કરનાર જિલ્લામાં પહેલો કિસ્સો છે. આ સાથે જ 26 વર્ષની નોકરી દરમિયાન મળેલા પગારની પણ રિકવરી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News