વલસાડનાં પારડી તાલુકાનાં પંચલાઈ ગામની નવી નગરીમાંથી એક ૨૫ વર્ષીય પરિણીતા નિાવીબેન હિતેષભાઈ પટેલ ગત તારીખ 3 એપ્રિલ નારોજ બપોરેથી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા બાદ ગુમ થવાનો બનાવ નોંધાયો છે.
નિરાલીબેનના પિતા રીલેગભાઈ બાલુભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, નિરાલીબેન છેલ્લા બે મહિનાથી તેમના પિયર ઘરે રહેતી હતી. જ્યારે તેમના બે ત્રણ વર્ષના જોડિયા દીકરાઓ આરવ અને અર્પિત તેમના પતિ હિતેષભાઈ સાથે પારડીના ભેંસલાપાડા વિસ્તારમાં રહેતા હતા. ઘટના દિવસે શૈલેષભાઈ મજુરી માટે અને તેમની પત્ની ભાવનાબેન દમણની પાંચાલ કંપનીમાં નોકરી માટે ગયા હતા. ઘરે માત્ર નિરાલીબેન અને તેમની દાદી શનીબેન હાજર હતા. બપોરે ૨:૩૦ વાગ્યે નિરાલીબેન ફળિયાની અન્ય સ્ત્રીઓ સાથે લાકડા કાપવા ગયા પછી ૩ વાગ્યે ઘરે પરત આવ્યા બાદ કોઈને કહ્યા વિના ચાલ્યા ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application