Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરપ્રદેશનાં બુલંદશહરનાં ઘમેડા રોડ વિસ્તારમાં ખેતરમાં બનેલ મકાનમાં બ્લાસ્ટ થતાં 4 લોકોનાં મોત

  • March 31, 2023 

ઉત્તરપ્રદેશનાં બુલંદશહરનાં ઘમેડા રોડ વિસ્તારમાં ખેતરોની વચ્ચોવચ બનેલા મકાનમાં જોરદાર બ્લાસ્ટ થયો, જેના કારણે મકાનનાં ફુરચેફુરચા ઉડી ગયા. આ બ્લાસ્ટમાં 4 લોકોનાં મોત નીપજ્યા. બ્લાસ્ટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો. જોકે હજુ સુધી બ્લાસ્ટનું કારણ જાણી શકાયુ નથી. મળતી માહિતી અનુસાર ઘણા ઘરોના કાચ તૂટી ગયા છે. માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પોલીસ અને ફોરેન્સિક ટીમ તપાસ માટે પહોંચી છે. ડી.એમ. અને એસ.એસ.પી. સહિત ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે હાજર છે. પહેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાની માહિતી મળી હતી પરંતુ પોલીસ બ્લાસ્ટને શંકાસ્પદ માનીને તપાસ કરી રહી છે. બ્લાસ્ટથી વિસ્તારમાં ભયનો માહોલ છે.






આ મકાનની અંદર કેમિકલ બનાવવાની ફેક્ટરી ચાલી રહી હતી અને અમુક વિસ્ફોટક પદાર્થ તૈયાર કરવામાં આવી રહ્યા હતા. જેના કારણે વિસ્ફોટ બાદ 4 લોકોનાં મોત નીપજ્યા છે. જોકે મૃતકોના બોડી પાર્ટ્સ દૂર સુધી વિખેરાયેલા મળ્યા. માહિતી બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને જપ્ત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. સમગ્ર મામલાની પોલીસ તપાસ કરી રહી છે. ઘટના સ્થળે ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે. કાટમાળમાં 100-100 લિટરના કેટલાક ડ્રમ પણ દબાયેલા જોવા મળી રહ્યા છે. જોકે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે, છેલ્લા ઘણા સમયથી અહીં લોડર વાહનોના માધ્યમથી સો-સો લિટરના ડ્રમ લઈ જવાતા હતા. સમગ્ર મામલે બુલંદશહર એસ.એસ.પી.નું કહેવુ છે કે એક મકાનની અંદર સિલિન્ડર ફાટવાની માહિતી મળી હતી. મકાનની અંદરથી ઘણા સિલિન્ડર પણ જપ્ત થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News