તાપીમિત્ર ન્યુઝ,સુરત:રીંગરોડ પર આવેલી રાધાકૃષ્ણ ટેક્ષટાઇલ માર્કેટના ચીટરોએ કાપડ વેપારીને રૂ. ૪૫.૧૨ લાખનો ચુનો ચોîપડ્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોધાયો છે. ભટારના ચૈતન્ય પાર્કમાં ભુપેન્દ્ર અગ્રવાલ પરિવાર સાથે રહે છે અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વીઆઇપી રોડ પર આવેલ પુણ્યભુમિ સોસાયટીમાં રહેતો અને રીંગરોડ પર આવેલી રાધાકૃષ્ણ ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા રાજેશ ઉર્ફે રાજુ રાઠી,ગોપાલ ચાંદક અને પુખરાજ ચૌધરી નામના ત્રણ ચીટરોએ વર્ષ ૨૦૧૯માં વેપારી ભુપેન્દ્રભાઇનો સંપર્ક કર્યો હતો. અને તેઓને સમયસર પૈસા આપવાની બાંહેધરી આપી તેમની પાસેથી ઉધારીમાં રૂ.૪૫.૧૨ લાખની કિંમતનો કાપડનો જથ્થો ખરીદ્યો હતો. જોકે ચીટરોએ સમયસર પૈસા ન આપતા વેપારીએ ઉઘરાણી શરૂ કરતા ચીટરોએ તેઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે ભુપેન્દ્રભાઇએ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application