Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બે બસો વચ્ચે ગંભીર અકસ્માત થતાં 8 લોકોનો મોત, 16 લોકો ઘાયલ

  • July 26, 2022 

ઉત્તરપ્રદેશનાં બારાબાંકીમાં પુર્વાંચલ એક્સપ્રેસ-વે પર બે બસોની વચ્ચે ભારે ટક્કર થતા 8 લોકો માર્યા ગયા હતા. જ્યારે 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે એક્સપ્રેસવે પર પાર્ક કરેલી એક બસ સાથે દિલ્હી જઇ રહેલી એક બસની ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક SP અનુરાગ વત્સે જણાવ્યું હતું કે, યમુના એક્સપ્રેસવે પર પાર્ક કરાયેલી એક બસની સાથે બિહારથી દિલ્હી તરફ જઇ રહેલી બસની પરોઢીયે 4.45 વાગ્યે ભિષણ ટક્કર થઇ હતી.




જોકે જે બસની સાથે ટક્કર થઇ તે પણ બિહારથી દિલ્હી તરફ જ જઇ રહી હતી. બસમાં કુલ 36 મુસાફરો સવાર હતા જેમાંથી 8 લોકોનાં મોત નીપજ્યા છે જ્યારે 16 લોકો ગંભીર રીતે ધવાતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સાથે જ તેમણે કહ્યું હતું કે ઘાયલોને સરકાર તરફથી પુરતી સહાય મળી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application