Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સહકારી ક્ષેત્રમાં વિશ્વનાં સૌથી મોટા અનાજ ભંડારની રચના કરવા માટે એક લાખ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી

  • June 01, 2023 

કેન્દ્રીય કેબિનેટે અનાજનો બગાડ અટકાવવા માટે સહકારી ક્ષેત્રમાં વિશ્વનાં સૌથી મોટા અનાજ ભંડારની રચના કરવા માટે એક લાખ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે. સરકાર સહકારી ક્ષેત્રમાં આગામી પાંચ વર્ષમાં અનાજ ભંડારમાં અનાજના સંગ્રહની ક્ષમતા વધારી ૭૦૦ લાખ ટન કરવા માંગે છે.


આ યોજનાને કારણે ગ્રામીણ ભારતમાં રોજગારીનું સર્જન થશે. કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે કેન્દ્રીય મંત્રીમંડળનાં આ નિર્ણયની માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિનઅસરકારક અને અપૂરતા અનાજ ભંડારને કારણે અનાજનો બગાડ થતો હતો અને ખેડૂતોને  પોતાનો પાક ઓછા ભાવે વેચવાની ફરજ પડતી હતી. જયારે વધુમાં જણાવ્યું હતું કે, કેબિનેટનાં આ નિર્ણયથી ખેડૂતોને તેમના બ્લોકમાં જ આધુનિક અનાજ ભંડારની સુવિધા મળશે.


તેમને આ સુવિધા પ્રાયમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી (પીએસીએસ) દ્વારા તેમના બ્લોકમાં જ ફાળવવામાં આવશે. કેબિનેટના આ નિર્ણયની માહિતી આપતા માહિતી તથા પ્રસારણ પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, કેબિનેટે સહકારી ક્ષેત્રમાં વિશ્વનાં સૌથી મોટા અનાજ ભંડારનું નિર્માણ કરવાની યોજનાને મંજૂરી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application